શનિ અને અમેરિકાના અશ્વેત આંદોલનો
તમારી જન્મકુંડળીમાં શનિ જે સ્થાનમાં બેઠો હોય ત્યાં તમે વિદ્રોહ કરો છો. શનિ બળવાખોર છે. કુંડળીમાં 10મું સ્થાન સરકારનું સ્થાન છે. જ્યારે શનિ (કાળ પુરુષની કુંડળીમાં) 10મા સ્થાનમાં આવવાનો હતો ત્યારે જ અનેક જાણતલ જોશીડા આગાહી કરવા લાગેલા કે વિશ્વભરમાં સરકાર સામે આંદોલનો શરૂ થશે. ને જુઓ.. હોંગકોંગ હોય, અમેરિકા હોય કે બ્રિટન અનેક જગ્યાએ આપણે વિરોધ પ્રદર્શનો જોયાં. અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેત આધેડની હત્યા થઈ. તે પછી હજારો લોકો સડક પર ઊતર્યા અને સતત આંદોલન ચાલુ છે. શનિ વિવિધ જાતિઓ(Races, not castes)નું પ્રતિનિધિત્વ કરે છે. તેમાંથી એક છે આફ્રિકાના અશ્વેતો. ને આશ્ચર્ય તો જુઓ, આફ્રો-અમેરિકન અશ્વેતો અમેરિકન પોલીસ વિરુદ્ધ, ટ્રમ્પ સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. આ છે જ્યોતિષની કમાલ. તમારા જન્મના ગ્રહો અને ગોચરમાં ઘૂમતા ગ્રહોનું કોમ્બિનેશન મોટા ભાગનું ચિત્ર દેખાડી દે છે. આગામી બે વર્ષ સુધી શનિ મકરમાં રહેવાનો છે. ત્યાં સુધી સત્તાધીશોની ઊંઘ હરામ રહી શકે છે.
શનિ એ શ્રમનું પ્રતિક છે. 10મું સ્થાન સરકારનું. શનિ 10મા સ્થાનમાં આવતા સરકારોને કોરોનાને કારણે પારાવાર શ્રમ કરવો પડી રહ્યો છે. શનિની સાથે મંગળની યુતિ થતા તબીબો પર હુમલા થવા લાગ્યા. કારણ કે મંગળ હિંસાનો કારક છે. શનિ મંગળની યુતિ છૂટી પડી જતા હિંસક હુમલા બંધ થઈ ગયા. આ જ્યોતિષની મજા છે. આપણા ઋષિમુનિએ સહસ્ત્રાબ્દીઓ પહેલા સખત અભ્યાસ અને મેડિટેટીવ પાવર દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન આજે પણ અજર છે.
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા
કોઈ પણ ગ્રહની પીડાને શાંત કરવાનો એક ઉત્તમ ઉપાય છે મેડિટેશન. માનવ શરીરના સાત ચક્રો સાત ગ્રહો સાથે જોડાયેલા છે. મુલાધાર-મંગળ, સ્વાધિષ્ઠાન-બુધ, નાભિ ચક્ર-ગુરુ, હૃદય ચક્ર-શુક્ર, વિશુદ્ધી ચક્ર-શનિ, આજ્ઞાચક્ર- સૂર્ય, સહસ્રાર-ચંદ્ર. ધ્યાન કરવાથી આ ચક્રો સંતુલિત થવા લાગે છે અને ગ્રહોની પીડા શાંત પડી જાય છે. રોજ અડધા કલાકનું ધ્યાન જીવન ક્યારે બદલી નાખશે ખબર પણ નહીં પડે. હું કોઈ યોગી નથી. માત્ર જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસું છું. મારા અભ્યાસ દરમિયાન મારી જાણકારીમાં જે આવ્યું છે તે આપની સાથે વહેચીને ગમતાનો ગુલાલ કરું છું. મારી જાણકારી પ્રમાણે યોગ અને ધ્યાન આપણા જન્માંતરના બૂરા કર્મોને કાપવાનો શોર્ટકટ છે. ગ્રહોની પીડામાંથી મુક્તિ મેળવવાની મર્સી પીટીશન છે, જે ક્યારેય રીજેક્ટ થતી નથી.
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા
સોલર મિનિમમઃ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ…
ખગોળ વિજ્ઞાન અનુસાર અત્યારે સોલર મિનિમમની ઘટના ઘટી રહી છે. સૂર્ય પર બહુ લાંબા સમયથી એક પણ સનસ્પોટ જોવા મળી રહ્યો નથી. તેના કારણે સૂરજની ગરમી ઘટી છે. જ્યોતિષમાં સૂર્ય સરકાર, સત્તા અને રાજનીતિનો કારક છે. આધુનિક વિજ્ઞાન અને જ્યોતિષ બંનેનો તાળો બહુ અદ્ભુત રીતે આપણને મળી રહ્યો છે. કેવીરીતે? એ જાણતા પહેલા સોલર મિનિમમ અને સોલર મેક્સિમમ શું છે એ ટૂંકમાં સમજી લો. સોલર મિનિમમ એટલે સૂર્ય પર એક પણ સનસ્પોટ જોવા ન મળે. પરિણામે તેમાંથી ગરમીનું ઉત્સર્જન ઘટે. તેનાથી ઊલટું, સોલર મેક્સિમમ દરમિયાન સૂર્ય પર સૌથી વધુ સનસ્પોટ સર્જાતા હોય છે. તે સમયગાળામાં સૂર્ય સૌથી વધુ ગરમી ફેંકે છે. આ સાયકલ 11 વર્ષના અંતરાલે અવિરત ચાલતી રહે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો સૂર્ય નબળો એટલે સરકાર નબળી. તો અત્યારે દુનિયાભરમાં એ જ તો થઈ રહ્યું છે. વિશ્વના મોટા-મોટા દેશોની સરકાર કોરોના સામેની લડતમાં વામન પુરવાર થઈ રહી છે. સરકારનો કંટ્રોલ ઘટ્યો છે. 2014માં સોલર મેક્સિમમની સ્થિતિ હતી. ત્યારે 81 સનસ્પોટ જોવા મળેલાં. ને ત્યારે જ ભારતમાં સ્પષ્ટ બહુમતવાળી શક્તિશાળી સરકાર સત્તામાં આવી. વિજ્ઞાનીઓ એવી આગાહી કરી રહ્યા છે કે 2022-23માં જબ્બર સોલર મેક્સિમમની સ્થિતિ સર્જાશે. ત્યારે 130 સૌરકલંક જોવા મળે તેવો અંદાજો છે. એના પરથી એવું અર્થઘટન કરી શકાય કે અત્યારે નબળી પડેલી સરકારો 2022-23માં પુનઃ શક્તિશાળી બનશે.
અમુક સોલર મિનિમમ વધારે લાંબા ચાલે છે. આ વખતે જોવા મળેલું સોલર મિનિમમ 100 વર્ષમાં સૌથી લાંબું પુરવાર થશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ને સરકારોને પણ સદીમાં એકાદ વખત જોવા મળે એવી મહામારી સામે ઝીંક ઝીલવાની આવી છે. સૂર્ય સરકારી નોકરીઓનો પણ કારક છે. શું એ આશ્ચર્યની વાત નથી કે જ્યારે સદીનું સૌથી મોટું સોલર મિનિમમ સર્જાવાની અણી પર છે ત્યારે સરકારે નવી સરકારી ભરતીઓ સ્થગિત કરી દીધી છે?
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા
શનિ. ભારતમાં સૌથી વધુ ગેરસમજનો શિકાર ગ્રહ. બધાને એમ હોય છે કે મને શનિ નડે છે, શનિ બહુ કષ્ટ આપે છે, પણ શું ખરેખર એવું છે? ના. શનિ વિશે જાણતા પહેલા એટલું ક્લિઅર સમજી લેવું જોઈએ કે દરેક ગ્રહ સારા અને ખરાબ ફળ આપે છે. કોઈ ગ્રહ ઉચ્ચનો હોય તો તે પણ કોઈને કોઈ તો ખરાબ ફળ આપવાનો જ. એક રીતે જોઈએ તો સારું શું અને ખરાબ શું એની વ્યાખ્યા બહુ સાપેક્ષ છે. આ વિશે દરેકનો મત ભીન્ન હોઈ શકે, કિંતુ ઇન જનરલ જોઈએ, સામાન્ય સંસારી મનુષ્ય તરીકે જોઈએ તો આપણને એક કોમન ડેફિનેશન મળી આવવાની. દા.ત. મેરેજ ન થવાને આપણે ખરાબ માનીએ છીએ. આમ આપણી દૃષ્ટિએ દરેક ગ્રહના પોઝિટીવ-નેગેટીવ રીઝલ્ટ્સ આપણને મળવાના. તે ગ્રહ ઉચ્ચનો હોય, સ્વરાશિમાં બિરાજમાન હોય તો તેના પોઝિટીવ રીઝલ્ટ્સ ઝાઝા હોવાના. ને કોઈ ગ્રહ શત્રુ રાશિમાં બેઠો હોય, નીચનો હોય તો તે નકારાત્મક પરિણામ વધારે આપશે. હવે પાછા મૂળ વાત પર.
શનિ શામાટે આપણને નથી ગમતો? કારણ કે શનિ વાસ્તવિકતાનો કારક છે. ચંદ્ર કલ્પનાનો કારક છે અને શનિ વાસ્તવિકતાનો. આપણા મનને કલ્પના ગમે છે અને વાસ્તવિકતા કઠે છે એટલે આપણને શનિના ફળ કડવા લાગે છે. જે વ્યક્તિ કલ્પનામાં નથી જીવતી, જે વ્યક્તિ હંમેશા પગ જમીન પર રાખે છે, જે વ્યક્તિ વાસ્તવદર્શી છે તેને શનિ ક્યારેય આકરો ગ્રહ લાગશે નહીં.
શનિની સાડાસાતી આવે ત્યારે તે ચંદ્રની નજીકથી પસાર થતો હોય છે. આથી આપણા કલ્પનાશીલ મનને વાસ્તવિકતાના કડવા ઘૂટડા પીવાનો વારો આવે છે, જે આપણને ગમતું નથી. અહીં પણ એ જ નિયમ લાગું પડશે. જે વ્યક્તિ વાસ્તવવાદી બનશે, સત્ય જોતા અને સ્વીકારતા શીખશે, પોતાની મર્યાદાઓને ઓળખશે તેને સાડાસાતી કઠિન લાગશે નહીં. અનુરાગ કશ્યપની ફિલ્મોમાં જેવી હાર્શ રિયલિટી દેખાડવામાં આવે છેને? શનિ બસ એટલો જ રિયલિસ્ટ છે.
શનિ કુંડળીમાં જ્યાં બેઠો હોય તે પ્રાપ્ત કરવા માટે તમારે કાળી મજૂરી કરવી પડે. કારણ કે શનિ લેબરનો કારક છે. શનિ બીજા સ્થાનમાં હોય તો પરિવાર અને ધન માટે મહેનત કરાવે, શનિ ચોથા સ્થાનમાં હોય તો પ્રોપર્ટી માટે મજૂરી કરાવે, પાંચમા સ્થાનમાં હોય તો બેચલર એજ્યુકેશન માટે હાર્ડવર્ક કરાવે. તમે મહેનતું છો, પરિશ્રમી છો તો ક્યારેય એવી ફરિયાદ કરશો નહીં કે મને શનિ નડે છે. શનિ બસ એટલું કહે છે, સખત મહેનત કરો. શનિને હાર્ડવર્કર્સ ગમે છે. માંઝી પિક્ચરના દશરથ માંઝી જેવા હાર્ડવર્કર્સ.
શનિને પ્રસન્ન કરવા આપણે શનિવાર રહીએ, શનિદેવની પૂજા કરીએ, શનિચાલીસા વાંચીએ, શનિનો મંત્રજાપ કરીએ એ બધું તો ખરું જ. એ સિવાય પણ શનિને પ્રસન્ન કરવાના અમુક પ્રેક્ટિકલ રસ્તા છે.
1. જ્ઞાતિવાદમાં ન માનો. કોઈને ઊંચા-નીચા ન ગણો. જે લોકો તેમની આર્થિક-સામાજિક સ્થિતિને કારણે તમારાથી પાછળ છે તેમનું ધ્યાન રાખો.
2. સફાઈકર્મીઓનો આદર કરો. તેમને મદદ કરો.
3. ભિક્ષુકોને દાન આપો.
4. વૃદ્ધોને પ્રસન્ન કરો.
5. ગરીબોને મદદ કરો.
6. બને તો જાતે સાફ-સફાઈ કરો.
7. ક્લાસ-4ના કર્મચારીઓને માન આપો. તેમને મદદ કરો.
8. ક્યારેય વચન ન તોડો.
મહૂર્તને બદલે હોરામાં પણ કરી શકાય શુભ કાર્યો..
હોરા વૈદિક જ્યોતિષનો બહુ જ રસપ્રદ વિષય છે. અંગ્રેજી શબ્દ hour હોરા પરથી ઊતરી આવ્યો છે. અવરનો અને હોરા બંનેનો અર્થ કલાક થાય છે. જ્યોતિષમાં જુદા-જુદા ગ્રહોને જુદી-જુદી કલાકો આપવામાં આવેલી છે. જે-તે ગ્રહની કલાકમાં તેને લગતા કામ કરવાથી સફળતાની સંભાવના વધી જાય છે. દિવસભર એક પછી બીજા અને બીજા પછી ત્રીજા ગ્રહની હોરા ચાલતી રહે છે. જેવીરીતે આપણે કોઈ શુભ કાર્ય શુભ મુહૂર્તમાં કરીએ છીએ તેમ જો તે કાર્યને લગતી હોરામાં કરીએ તો પણ ઉત્તમ પરિણામ મળે છે.
કયા ગ્રહની હોરામાં શું કરી શકાય?
સૂર્યઃ સૂર્ય રાજનીતિ, સત્તા, સરકારી નોકરી, પ્રકાશ, પિતા, આત્મવિશ્વાસ, હાડકાં ય, કીર્તિ વગેરેનો કારક છે. ખાસ કરીને કોઈ સરકારી કામ અટકતું હોય તો સૂર્યની હોરામાં કરવું જોઈએ.
ચંદ્રઃ ચંદ્ર મન, લાગણી, કવિતા, ખોરાક, માતા, પોષણ અને ધ્યાનનો કારક છે. મૂનની હોરામાં મેડિટેશન કરવાથી સહજ ધ્યાન લાગે છે. પૂનમની રાતે ધ્યાન કરવાનો મહિમા પણ ચંદ્રને કારણે જ છે.
ગુરુઃ ગુરુ કાયદો, વિદ્યા, ફાયનાન્સ, શિક્ષણ, આધ્યાત્મિક સાધના અને મેનેજમેન્ટનો કારક છે. આ બધા કામો ગુરુની હોરાથી શરૂ કરો તો ખૂબ ફાયદો થઈ શકે. ગુરુ બેન્કિંગનો પણ કારક હોવાથી બેંકને લગતા કામ ગુરુની હોરામાં થવા જોઈએ. ગુરુ તમને જૉબમાં પ્રમોશન અપાવી શકે.
શુક્રઃ શુક્ર ભૌતિકતા, આનંદ-પ્રમોદ, કલા, ફેશન, મહિલા, પ્રેમ, સહવાસ અને ફિલ્મનો કારક છે. તેને લગતા કામ શુક્રની હોરામાં કરવા જોઈએ. વાહન કે ઘરેણાની ખરીદી શુક્રની હોરામાં જ કરવી જોઈએ.
શનિઃ શનિ શ્રમ, સ્વચ્છતા, કોન્ટ્રાક્ટ, કમિટમેન્ટ, નોકર-ચાકર, ધીમી ગતિની કામગીરી આદિનો કારક છે. તેને લગતા કામ એ સમયમાં થઈ શકે.
બુધઃ બુધ વિદ્યા અભ્યાસ, સલાહ, કોમ્યુનિકેશન, વાણી, પ્રવાસ અને માહિતીનો કારક છે. તેને લગતા કામ બુધની હોરામાં થવા જોઈએ.
મંગળઃ મંગળ જમીન, પ્રોપર્ટી, સ્પોર્ટ્સ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સનો કારક છે. તેને લગતા કામ મંગળની હોરામાં થવા જોઈએ.
રોજ જુદા-જુદા ગ્રહોની હોરાના કલાકો અલગ-અલગ હોય છે. બુધવારની હોરા આ પ્રમાણે રહેશે.
બુધ- 6.03 am, 1.03 pm, 8.03 pm, 3.03 am
ચંદ્ર- 7.03 am, 2.03 pm, 9.03 pm, 4.03
શનિ- 8.03 am, 3.03 pm, 10.03 pm, 5.03
ગુરુ- 9.03 am, 4.03 pm, 11.03 pm,
મંગળ- 10.03 am, 5.03 pm, 12.03 am
સૂર્ય- 11.03 am, 6.03 pm, 1.03 am
શુક્ર- 12.03 pm, 7.03 pm, 2.03 am
(આ હોરા રાજકોટના સૂર્યદય પ્રમાણે કાઢેલી છે. ધારો કે અમદાવાદમાં સૂર્યોદયનો સમય 5.55 વાગ્યાનો છે. તો અમદાવાદમાં પ્રથમ હોરા સવારે 5.55 વાગ્યાથી ગણાશે.)
Hora is beautiful concept in vedic astrology. We used to find muhurta for auspicious work. The way we should do auspicious work in hora of particular planet. Great sage Parashara coined the word hora. Hour is derived from Hora. Both have same meaning. Hora means hour of particular graha (planet). If you want to ensure success of your work, you should do the work in related hora
- Sun: work related to government, politics, father, self confidence, boss, bone should be done in sun hora.
- Moon: Work related to emotion, meditation, mother, milk, caring, food, poetry should be done in moon hora.
- Mercury: Work related to phone call, communication, publishing, information sharing, social media should be done in this hora.
- Jupiter: Work related to meditation, spiritual sadhna, learning, teaching, finance, legality, advice should be done in this hora.
- Venus: Work related to wife, Women, love, movies and entertainment and buying vehicle should be done in this hora.
- Saturn: Work related to cleaning, contract, donation, labor, service should be done in this hora.
- Mars: Work related to sports, Electronics, Engineering, property buying should be done in this hora.
Today’s hora (consider one hour from given time)
Sun: 10.05 am, 5.05 pm, 12.05 am
Venus: 11.05 am, 6.05 pm, 1.05 am
Mercury: 12.05 pm, 7.05 pm, 2.05 am
Moon: 6.05 am, 1.05 pm, 8.05 pm, 3.05 am
Saturn: 7.05 am, 2.05 pm, 9.05 pm, 4.00 am
Jupiter: 8.05 am, 3.05 pm, 10.05 pm, 5.05 am
Mars: 9.05 am, 4.05 pm, 11.05 pm,