fbpx
Office Time:  9:00 AM‑9:00 PM
WhatsApp:  88661 88671

Articles On Astrology

AstroPath > Articles On Astrology
નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ

નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ

સૂર્ય આત્મા, પિતા, સત્તા, સરકારી નોકરી, બોસ, આરોગ્ય અને રાજનીતિનોનો કારક ગ્રહ છે. કુંડળીમાં સૂર્ય પીડિત હોય તો તેના જાપ કરીને તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ હ્રાં હ્રીં હ્રોં સઃ સૂર્યાય નમઃ’ આ મંત્રના 7000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

ચંદ્ર લાગણી, માતા, મન, સંવેદના, ચંચળતા, પાણી, નમક, સમુદ્ર, માનસિક રોગ, બેચેની વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં ચંદ્ર પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ શ્રાં શ્રીં શ્રૌમ સઃ ચંદ્રમસે નમઃ’ આ મંત્રના 11,000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

મંગળ ઊર્જા, સાહસ, ક્રોધ, હિંસા, યુદ્ધ, અકસ્માત, ઉતાવળ, જમીન, સૈન્ય, એન્જિનિયરિંગ વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં મંગળ પીડિત હોય તો જાપ દ્વારા શાંત કરી શકાય છે. ‘ૐ ક્રાં ક્રીં ક્રૌ સઃ ભૌમાય નમઃ’ આ મંત્રના 10,000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

બુધ વાણી, વાતચીત, વાક્ચાતુર્ય, બુદ્ધિ, ગણિત, કોમ્પ્યુટર, વેપાર, કમિશન, મિમિક્રી, પ્રિન્ટિંગ વગેરેનો કારક ગ્રહ છે. જો બુધ પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય. ‘ૐ બ્રાં બ્રીં બ્રૌ સઃ બુધાય નમઃְ’ આ મંત્રના 9,000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

ગુરુ વિદ્યા, જ્ઞાન, મેનેજમેન્ટ, ફાયનાન્સ, બેંકિંગ, સમૃદ્ધિ, ગળપણ, ચરબી, આધ્યાત્મ વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં ગુરુ પીડિત હોય તો જાપ દ્વાર તેની શાંતિ કરી શકાય. ‘ૐ પ્રાં પ્રીં પ્રૌ સઃ ગુરુવે નમઃપ્રાંપ્ર’ આ મંત્રના 19,000 જાપ શુભ ફળ આપે છે.

શુક્ર કળા, સંગીત, કાવ્ય, ગ્લેમર, મોજશોખ, સૌંદર્ય પ્રસાધનો, પત્ની, પરફ્યુમ, સંબંધો વગેરેનો કારક ગ્રહ છે. શુક્ર પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ દ્રાં દ્રીં દ્રૌ સઃ શુક્રાય નમઃ’ આ મંત્રના 16,000 જાપ શુભ ફળ પ્રદાન કરે છે.

શનિ લોખંડ, ખનીજ, ખનીજતેલ, નિરાશા, દુઃખ, ગરીબી, પરિશ્રમ, વાસ્તવિકતા, સમૂહ વગેરેનો કારક ગ્રહ છે. કુંડળીમાં શનિની પીડા હોય તો જાપ દ્વારા શાંતિ કરી શકાય. ‘ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ’ આ મંત્રના 23,000 જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

રાહુ વળગણ, અધૂરી ઇચ્છા, છેતરપિંડી, ધમાડો, વ્યસન, જાદુ, માયા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર વગેરેનો કારક ગ્રહ છે. રાહુ પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય. ‘ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ’ આ મંત્રના 18,000 જાપ કરવાથી રાહુના શુભ ફળ મળે છે.

કેતુ ગૂઢજ્ઞાન, ગૂઢ રોગ, વૈરાગ્ય, પૂર્વ જન્મથી પ્રાપ્ત પ્રતિભા, સાધુત્વ, મોક્ષ, દિશાહિનતા, કન્ફ્યુઝન વગેરેનો કારક ગ્રહ છે. કેતુ પીડિત હોય તો જાપ દ્વારા તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ સ્રાં સ્રીં સ્રૌં સઃ કેતવે નમઃ’ આ મંત્રના 17,000 જાપ કરવાથી શુભ ફળ મળે છે.

એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા

Book Your Consultation: 88661 88671

ગુરૂ મીનમાં માર્ગીઃ કઈ રાશિના જાતકો પર શું અસર થશે?

ગુરૂ મીનમાં માર્ગીઃ કઈ રાશિના જાતકો પર શું અસર થશે?

જ્યોતિષશાસ્ત્રમાં ગુરૂને જ્ઞાનકારક માનવામાં આવ્યો છે. ગુરૂ જ્ઞાન, વિદ્યા, આધ્યાત્મ, ફાયનાન્સ વગેરેનો કારક ગ્રહ મનાય છે. જેમની કુંડળીમાં ગુરૂ મજબૂત હોય તેમને પૈસાની કમી રહેતી નથી, સાથોસાથ તેમનામાં ડહાપણ રહેલું હોય છે. જેમનો ગુરૂ નબળો હોય તેમને ઓછું ભણતર, નિર્ધનતા અને અજ્ઞાન ઘેરી વળે છે. ગોચરમાં 29 જૂલાઈ 2022થી ગુરૂ મહારાજ વક્રી હતા. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે અણધાર્યુ સારું અથવા અણધાર્યું ખરાબ ફળ આપે છે. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે પાછળની રાશિમાં પણ ફળ આપે છે. આથી ગુરૂ માર્ગી થતા જીવન અને જગતમાં નોંધપાત્ર પરિવર્તનો આવી શકે છે. ગુરૂ 24 નવેમ્બર 2022ના રોજ સવારે 4.09 વાગ્યાથી માર્ગી થયો છે. વક્રી હોય ત્યારે અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે. આધ્યાત્મિક બેન્કિંગ, ફાયનાન્સ, વિદેશને લગતી બાબતો માટે સારો સમય રહેશે. સમુદ્ર વેપારની સ્થિતિ સૂધરશે. પાર્ટનરશીપ બિઝનેસ, સૌંદર્ય તથા કળાને લગતા બિઝનેસના યોગ ખૂલશે. નેતાઓ માટે સારો સમય છે. એ સિવાય કઈ રાશિના જાતકોને શું અસર થશે, તેના પર એક નજર કરીએ-

મેષઃ તમારી કુંડળીમાં ગુરૂ બારમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ચોથા, છઠ્ઠા અને આઠમા સ્થાન પર તેની દૃષ્ટિ છે. વિદેશ યાત્રાના યોગ છે. માતા અને મિલકત સંબંધિત ફાયદો થઈ શકે છે. આકસ્મિક લાભ થશે. પરિવાર, ધન, જીવનસાથી અને પાર્ટનરશીપ માટે સારો સમય છે. તમારી ક્ષમતામાં વધારો થશે. તમે લોન લઈ શકો છો.

વૃષભઃ તમારી કુંડળીમાં ગુરુ અગિયારમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ ત્રીજા, પાંચમા અને સાતમા સ્થાન પર પડી રહી છે. તમે નવું સાહસ કરશો. આ સમય તમારા માટે યશ અને કીર્તિનો છે. ઘરમાં સંતાનનું આગમન થશે. જીવનસાથી અને પાર્ટનરશીપ માટે સારો સમય છે. તમારી મહેનતનું ફળ તમને મળશે. આકસ્મિક લાભ થશે. મિલ્કત અથવા માતા સંબંધિત કોઈ ફાયદો થશે. તમે લોન લઈ શકો છે. તમારી જવાબદારીમાં વૃદ્ધિ થશે.

મિથુનઃ તમારી કુંડળીમાં ગુરુ દસમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન પર પડી રહી છે. કારકિર્દી માટે સારો સમય છે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. પ્રમોશન મળી શકે છે. મિલકત અથવા માતા સંબંધિત કોઈ મોટો લાભ મળી શકે છે. આરોગ્ય સાચવવું. તમે નાના ભાઈ-બહેનની ફિકર કરશો. આવકની સાથોસાથ ખર્ચ પણ વધશે. સંતાનોનું આરોગ્ય સાચવજો. પ્રેમ સંબંધમાં વાદવિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.

કર્કઃ તમારી કુંડળીમાં ગુરુ નવમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ પહેલા, ત્રીજા અને પાંચમા સ્થાન પર પડી રહી છે. તમારા ભાગ્ય ઊઘડશે. તમે તમારા જીવનના ખૂબ મહત્ત્વના સમયમાંથી પસાર થઈ રહ્યા છો. તમે કરેલું સાહસ ફળદાયી નીવડશે, ખાસ કરીને બીજી ડીસેમ્બર પછી. ત્યારથી તમારા નાના ભાઈ-બહેન માટે પણ સારો સમય આવશે. માતા અને મિલકત સંબંધિત સુખમાં વૃદ્ધિ થશે. આધ્યાત્મિક સુખ વધશે. આવકમાં વૃદ્ધિ થશે. આકસ્મિક લાભ મળશે. પ્રમોશનના યોગ બને છે.

સિંહઃ તમારી કુંડળીમાં ગુરુ આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ બારમા, બીજા અને ચોથા સ્થાન પર પડી રહી છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ સારો છો. તમને વારસાઈ લાભ મળી શકે છે. તમે લાંબા અંતરની યાત્રા કે વિદેશ પ્રવાસ કરી શકો. તમારી આવકમાં વૃદ્ધિ થશે. સંતાનોના આરોગ્યની કાળજી લેજો. માતા અથવા મિલકત સંબંધિત કોઈ લાભ મળી શકે. તમારા માટે પ્રગતિકારક સમય છે. તમે કરેલું સાહસ સફળ થશે. કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. ડીસેમ્બરમાં પ્રમોશનના યોગ બને છે.

કન્યાઃ તમારી કુંડળીમાં ગુરુ સાતમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ 11મા, પહેલા અને ત્રીજા સ્થાન પર પડી રહી છે. જીવનસાથી અને પાર્ટનરશિપ માટે સારો સમય છે. તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. તમે કરેલું સાહસ સફળ થશે. આવકની સાથે ખર્ચમાં પણ વૃદ્ધિ થશે. માતા અથવા મિલકત સંબંધિત લાભ મળી શકે છે. આ સમયમાં તમે એક મજબૂત વ્યક્તિ તરીકે ઊભરી આવશો. નાના ભાઈ-બહેનના સંઘર્ષનો અંત આવી શકે છે. ડીસેમ્બર મહીનો કારકિર્દી માટે ખૂબ સારો રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. તમે લાંબા અંતરની યાત્રા કરશો.

તુલાઃ તમારી કુંડળીમાં ગુરુ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તે દસમા, બારમા અને બીજા સ્થાન પર દૃષ્ટિ કરી રહ્યો છે. કોર્ટ-કચેરીના વાદવિવાદનો તમારી ફેવરમાં અંત આવશે. તમે લોન લઈ શકો છો. ગળ્યું ખાવાનું ટાળજો અન્યથા સ્વાસ્થ્ય ખરાબ થશે. આવકમાં વૃદ્ધિ થશે સાથોસાથ ખર્ચ પણ વધશે. કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. તમે તમારા શત્રુઓને પરાજિત કરશો. પરિવાર માટે સારો સમય છે. નોકરી માટે લાંબા અંતરનો પ્રવાસ થઈ શકે છે. તમે ભાઈ-બહેનના આરોગ્યની ચિંતા કરશે. અન્યથી આર્થિક લાભ થશે.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં ગુરુ પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ નવમા, 11મા અને પહેલા સ્થાન પર પડી રહી છે. તમારા ઘરમાં સંતાનનું આગમન થશે. જો સંતાનો મોટા છે તો તેના માટે ખૂબ સારો સમય છે. તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. આવકમાં અણધાર્યો વધારો થશે. જેટલી મહેનત કરશો એના કરતાં વધારે મળશે. કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. તમે મોજશોખ પાછળ ખર્ચા કરશો. દામ્પત્ય જીવન કે પાર્ટનરશિપમાં ચાલતા વાદવિવાદનો અંત આવશે. આ સમય તમારા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ધનઃ તમારી કુંડળીમાં ગુરૂ ચોથા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આઠમા, 10મા અને 12મા સ્થાન પર દૃષ્ટિ કરી રહ્યો છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તમારા માટે ખૂબ સારો સમય છે. ખર્ચમાં વૃદ્ધિ થશે. અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. જો કે તમારી મહેનતના પ્રમાણમાં તમને ઓછું વળતર મળશે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. કારકિર્દી માટે સારો સમય છે. તમે લોન લઈ શકો છો. તમારી જવાબદારીમાં વૃદ્ધિ થઈ શકે છે. નોકરી અર્થે વિદેશ જવાનું બની શકે છે.

મકરઃ તમારી કુંડળીમાં ગુરૂ ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. સાતમા, નવમા અને 11મા સ્થાન પર તેની દૃષ્ટિ પડી રહી છે. તમારા નાના ભાઈ-બહેન માટે ખૂબ સારો સમય છે. કોમ્યુનિકેશન અને ટ્રાવેલિંગથી તમને લાભ થશે. તમારા પિતા માટે પણ ખૂબ સારો સમય છે. ભાગ્ય તમારો સાથ આપશે. દામ્પત્ય જીવન અને ભાગીદારી માટે સારો સમય છે. કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. સાથોસાથ જવાબદારી પણ વધશે. તમે લોન લઈ શકો છો. સંતાનનું આગમન થઈ શકે છે. જો ઘરમાં ઓલરેડી સંતાનો હશે તો તેમના માટે ખૂબ સારો સમય છે.

કુંભઃ તમારી કુંડળીમાં ગુરૂ બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તે છઠ્ઠા, આઠમા અને 10મા સ્થાન પર દૃષ્ટિ કરી રહ્યો છે. તમારા જ્ઞાનનો કોઈ લાભ ન લઈ જાય તે જોજો. કારકિર્દી માટે સારો સમય છે. તમે લોન લઈ શકો છો. તમારી જવાબદારી વધશે. મિલકત સંબંધિત પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. તમારા કુટુંબ અને પરિવાર માટે ખૂબ સારો સમય છે. પાર્ટનરશિપ કે જીવનસાથી માટે ખૂબ સારો સમય છે. ભાગ્ય તમારો સાથ આપશે. માતા અથવા મિલકત સંબંધિત લાભ થશે. તમારું સાહસ સફળ થશે.

મીનઃ તમારી કુંડળીમાં ગુરૂ પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ પાંચમા, સાતમા અને નવમા સ્થાન પર પડી રહી છે. ઘરે સંતાનનું આગમન થઈ શકે છે. જો સંતાનો મોટા હશે તો તેના માટે ખૂબ સારો સમય છે. દામ્પત્ય જીવન અને પાર્ટનરશિપના સુખમાં વધારો થશે. આધ્યાત્મ અને ફાયનાન્સ બંને દૃષ્ટિએ તમે સમૃદ્ધ બનશો. થોડો સમય એવું પણ લાગે કે તમારા જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર તમારા પર આધિપત્ય જમાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તમે ચિંતા ન કરતાં થોડા જ સમયમાં બધું સરખું થઈ જશે. ટ્રાવેલિંગથી ફાયદો થશે. માતા અથવા મિલ્કત સંબંધિત લાભ થશે. તમારા પિતાના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમને અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. પિતાના આરોગ્યની કાળજી રાખજો.

એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા

27 વર્ષ બાદ દિવાળી પર સૂર્યગ્રહણ: કઈ રાશિના જાતકોને શું અસર થશે?

27 વર્ષ બાદ દિવાળી પર સૂર્યગ્રહણ: કઈ રાશિના જાતકોને શું અસર થશે?

આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 25મી ઓક્ટોબર 2022ના રોજ લાગશે. 27 વર્ષ બાદ દિવાળી પર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. તહેવારની આસપાસ સૂર્યગ્રહણ આવે તે બિલકુલ શુભસંકેત નથી. સૂર્યગ્રહણ ખંડગ્રાસ હશે.  દેશમાં ગ્રહણનો કુલ સમય ચાર કલાક ત્રણ મિનિટનો હશે. બપોરે 2.29 વાગ્યે ગ્રહણ શરૂ થશે અને સાંજે 6.32 વાગ્યે સમાપ્ત થઈ જશે. બપોરે 4.30 વાગ્યે ગ્રહણ તેની ચરમસીમા પર હશે. ગુજરાતમાં સાંજે 4.27થી દેખાવાનું શરૂ થશે. સૂર્યગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થશે. આથી ગ્રહણ પછીના છ મહિના સુધી કોઈ પણ મુહુર્તમાં સ્વાતિ નક્ષત્ર વર્જિત ગણાશે. ભારતમાં ગ્રહણની સમાપ્તિ પહેલાં જ સૂર્યાસ્ત થઈ જશે આથી સૂર્યાસ્તને જ ગ્રહણની સમાપ્તિ માનવામાં આવશે. ગ્રહણ પહેલાં 12 કલાકથી સૂતક શરૂ થશે, જે ગ્રહણ પૂરું થવા સાથે સમાપ્ત થઈ જશે.

ધર્મગ્રંથો પ્રમાણે સૂતકકાળ દરમિયાન મૂર્તિ પૂજા થતી નથી. ખાવા-પીવાની ચીજોમાં તુલસીપત્ર અથવા દર્ભ રાખવામાં આવે છે. ગ્રહણ ચાલતુ હોય ત્યારે બાળક, વૃદ્ધ અને દર્દી સિવાયના લોકો માટે પાણી સુદ્ધા વર્જિત છે. ગ્રહણ બાદ સ્નાન કરવું પડે છે તથા ઘરનું પાણી બદલવું પડે છે. સૂર્યગ્રહણ દરમિયાન કોઈ નવું કાર્ય કરવું જોઈએ નહીં. જો શક્ય બને તો કામમાંથી નિવૃત્તિ લઈ અને પ્રભુ ભક્તિ કરવી જોઈએ. સૂર્યગ્રહણ વખતે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. ગ્રહણ દરમિયાન આંખની સમસ્યા અથવા પાચનતંત્રને લગતી સમસ્યા થવાની શક્યતા રહે છે. સૂર્ય એ રોગપ્રતિકારક શક્તિનો કારક હોવાથી ઈમ્યુન સિસ્ટમ કમજોર પડી શકે છે. સૂર્યગ્રહણ અમાસ પર થતું હોવાથી મન બેચેની અનુભવી શકે છે. ગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોને શું અસર થશે તે જોઈએ-

મેષઃ તમારી કુંડળીમાં સપ્તમ સ્થાનમાં ગ્રહણ થશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય સાચવવું. ભાગીદારીને લગતી બાબતોમાં સાવધાન રહેવું. પ્રેમ સંબંધને લગતી બાબતોમાં પણ સાવચેતી રાખવી. સટ્ટાકિય પ્રવૃત્તિથી બચવું.

વૃષભઃ તમારી કુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં સૂર્યગ્રહણ થશે. બિનજરૂરી વાદવિવાદમાં ન ઉતરવું. લોન ન લેવી. મિલકત સંબંધિત પ્રશ્નો ટાળવા. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

મિથુનઃ તમારી કુંડળીમાં પાંચમા સ્થાનમાં ગ્રહણ થશે. તમને આ ગ્રહણના શુભ પરિણામ પણ મળી શકે છે. તમારી મહેનતનો અંત આવી શકે છે. નાના ભાઈ બહેનનું સ્વાસ્થ્ય સાચવવું. સંતાનોની કાળજી લેવી. પ્રેમ સંબંધ, સટ્ટો ઈત્યાદિ બાબતોથી સંભાળવું. સંતાનોની કાળજી લેવી.

કર્કઃ તમારી કુંડળીમાં ચોથા સ્થાનમાં ગ્રહણ થશે. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. વાણી પર સંયમ રાખવો. ખોટા ખર્ચથી બચવું. મિલકત સંબંધિત વિવાદોથી બચવું.

સિંહઃ તમારી કુંડળીમાં ત્રીજા સ્થાનમાં સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. નાના ભાઈ-બહેનની કાળજી લેવી. તમારું પોતાનું સ્વાસ્થ્ય પણ સાચવવું. આ ગ્રહણ તમારા પરિશ્રમનો અંત લાવી શકે છે. પ્રવાસ કરવાનું ટાળવું. તમને ધનલાભ થઈ શકે છે.

કન્યાઃ તમારી કુંડળીમાં બીજા સ્થાનમાં ગ્રહણ થશે. પૈસાની બાબતમાં મિશ્ર પરિણામ મળી શકે છે. મોટો લાભ થાય એવું પણ બને. પરિવારની કાળજી લેવી.

તુલાઃ તમારી કુંડળીમાં પ્રથમ સ્થાનમાં સૂર્યગ્રહણ થશે. મોટા ભાઈ બહેનની કાળજી લેવી. કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ લેવાનું ટાળવું. સ્વાસ્થ્યની કાળજી લેવી. જીવનમાં મોટા પાયાના પરિવર્તનો આવી શકે છે.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં બારમા સ્થાનમાં સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. તમારે આ સૂર્યગ્રહણમાં સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે. કારકિર્દીમાં પરિવર્તન આવી શકે છે. વાહન ચલાવવાનું ટાળજો. નાના ભાઈનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યની કાળજી લેવી. પ્રવાસ કરવાનું ટાળવું.

ધનઃ તમારી કુંડળીમાં 11મા સ્થાનમાં ગ્રહણ થઈ રહ્યું છે. માતા-પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. નવા સાહસો ન કરવા. આર્થિક જોખમો ખેડવા નહીં. કર્જામાંથી રાહત મળી શકે છે.

મકરઃ તમારી કુંડળીમાં દસમા સ્થાનમાં સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. લાંબા ગાળાની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. કારકિર્દીમાં નવા પ્રયોગો ન કરવા. સંતાનોની કાળજી લેવી. સટ્ટા અને પ્રેમ સંબંધમાં સાચવવું. જીવનસાથીની કાળજી લેવી.

કુંભઃ તમારી કુંડળીમાં ભાગ્ય સ્થાનમાં સૂર્યગ્રહણ થશે. લાંબા અંતરની યાત્રા ટાળવી. પત્નીના સ્વાસ્થ્યની કાળજી લેવી. ભાગીદારી સંબંધિત વિવાદોથી બચવું. કર્જામાંથી મુક્તિ મળી શકે છે. શત્રુઓનો નાશ થશે. માતા-પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

મીનઃ તમારી કુંડળીમાં આઠમા સ્થાનમાં સૂર્યગ્રહણ થશે. કર્જામાંથી કે લાંબા ગાળાની બીમારીમાંથી મુક્તિ મળશે. શત્રુઓનો નાશ થશે. તો પણ નવા આર્થિક જોખમો ખેડવા નહીં. આવકમાં ફેરફાર થઈ શકે છે. પરિવારની કાળજી રાખવી.

સૂર્યગ્રહણની દરેક વ્યક્તિને અસર થાય એવું જરૂરી નથી. જ્યારે ગોચર ગ્રહોની સાથે જે-તે વ્યક્તિની મહાદશા અને અંર્તદશા તાલ મિલાવે ત્યારે જ તેના જીવન પર ગ્રહોની સારી કે નરસી અસર થાય છે આથી બિનજરૂરી વહેમ કે ચિંતામાં પડ્યા વિના પ્રભુ ભક્તિ કરવી. ગ્રહણ દરમિયાન થાય એટલા ગાયત્રી મંત્ર કરવા, સૂર્યના જાપ કરવા. ગ્રહણ દરમિયાન ગોળ, ઘઉં, તાંબુ ઈત્યાદિનું દાન કરવું.

ગ્રહણ દરમિયાન કરેલું દાન ભૂમિ દાન સમાન ગણાય છે. તે માટેનો શ્લોક આ પ્રમાણે છે.

सर्वभूमि समं दानं, सर्व ब्रह्मसमा द्विजाः ।

सर्वगंगा समं तोयं ग्रहणे चंद्र सूर्ययो ।।

2019 અને 2020માં સૂર્યગ્રહણ થયું ત્યારે દુનિયાભરમાં તેની નકારાત્મક અસર જોવા મળી હતી. આ ગ્રહણ ભારત, પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર આફ્રિકા અને પૂર્વ આફ્રિકામાં દેખાવાનું છે. ગ્રહણ પછીના 40 દિવસ સુધી આ બધા વિસ્તારમાં અશાંતિ વ્યાપશે.

ॐ घृणि सूर्याय नमः

ગ્રહણ દરમિયાન આ મંત્રના થાય એટલા જાપ કરો. બાકી કોઈ ચિંતા વિના આનંદ કરો. ભગવાન સહુનું ભલું કરે.

એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા

અમારું કન્સલ્ટેશન બુક કરવા માટે 88661 88671 પર કોલ અથવા વોટ્સએપ કરો.

શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી બન્યો: કઈ રાશિના જાતકોને શું અસર થશે?

શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી બન્યો: કઈ રાશિના જાતકોને શું અસર થશે?

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને મંત્રીની સંજ્ઞા આપવામાં આવી છે. તે વાહન અને પત્નીનો કારક છે. ભોગવિલાસ, પ્રેમ, આકર્ષણ, કળા, સેક્સ, સંબંધો અને તમામ પ્રકારના ભૌતિક સુખોનો કારક ગ્રહ છે. બીજી ઓક્ટોબરથી શુક્ર અસ્ત છે અને 20મી નવેમ્બરે ઉદિત થવાનો છે. જ્યારે કોઈ ગ્રહ અસ્ત હોય ત્યારે તેના ફળમાં કમી આવે છે, પરંતુ તે આંશિક ફળ તો આપે જ છે. આવા શુક્ર મહારાજે 18 ઓકટોબર 2022ના રાત્રે 9.25 વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ 11 નવેમ્બર 2022ના સાંજે 7.55 સુધી રહેવાના છે. તુલા રાશિમાં શુક્ર સૂર્ય અને કેતુ સાથે યુતિ કરી રહ્યો છે અને શનિની 10મી દ્રષ્ટિ તેના પર પડી રહી છે. આ દરમિયાન વિવિધ રાશિના જાતકો પર શું અસર થશે તે જોઈએ-

મેષઃ તમારી કુંડળીમાં શુક્ર સપ્તમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. સાતમું સ્થાન દામ્પત્ય જીવન, પાર્ટનરશીપ તથા અન્ય સાથે મિલન-મુલાકાતનું સ્થાન હોવાથી આ સમયમાં તમે વધારે મળતાવડા બનશો. સંઘર્ષ પછી સંબંધો કેળવવામાં સફળતા મળશે. શુક્રની સાથે સૂર્ય પણ બેઠો હોવાથી પત્ની અને ભાગીદાર સાથે અહમના ટકરાવથી બચવું. શુક્રની સાથે કેતુ પણ બેઠો છે આથી સંબંધોમાં જેટલી ધાર્મિકતા અથવા આધ્યાત્મિકતા ઉમેરાશે તેટલા તે મજબૂત બનશે. આ સમયમાં તમે વધારે રોમેન્ટિક બનશો. સાંસારિક સુખ તરફનો તમારો ઝુકાવ વધશે. આર્થિક લાભમાં વૃદ્ધિ થઈ શકે છે.

વૃષભઃ તમારી કુંડળીમાં શુક્ર છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમય દરમિયાન તમે જૂના વાદવિવાદોનો વાતચીત દ્વારા ઉકેલ લાવશો. હસતા-હસતા જવાબદારી ઉપાડશો. તમે પ્રોપર્ટી માટે કે વાહન માટે લોન લઈ શકો છો. મોજશોખ માટે ખર્ચ વધશે. ગૃહસ્થ જીવન વધારે સુખી બનશે. સેવાકાર્યોમાં વૃદ્ધિ થશે.

મિથુનઃ તમારી કુંડળીમાં શુક્ર પંચમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમારા સંતાનો વધારે ક્રિએટીવ બનશે. તમે વધારે રોમેન્ટિક બનશો. સંતાનો અથવા પ્રેમી પાછળના ખર્ચમાં વૃદ્ધિ થશે. આધ્યત્મ તરફનો તમારો ઝુકાવ વધશે. બોસ અથવા નાના ભાઈ બહેન સાથે સારો સમય વિતાવશો.

કર્કઃ તમારી કુંડળીમાં શુક્ર ચતુર્થ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે વાહનની ખરીદી કરી શકો છો. ઘરમાં સુખ-સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થશે. આનંદ-પ્રમોદમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ વધશે. કારકિર્દી તરફ તમે વિશેષ ધ્યાન આપશો. ઘરના સભ્ય સાથે અહમનો ટકરાવ ટાળશો. લાંબા અંતરની યાત્રા પણ થઈ શકે છે.

સિંહઃ તમારી કુંડળીમાં શુક્ર ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે તમારાથી નાની ઉંમરના લોકોની કંપની માણી શકો છો. કારકિર્દી અર્થે નાના અંતરની યાત્રાઓ થશે. માર્કેટીંગ અને કોમ્યુનિકેશન પાછળ વધારે સમય વિતાવશો. સાહસ ખેડવામાં આનંદનો અનુભવ કરશો. કલાના ક્ષેત્રમાં રૂચિ વધશે.

કન્યાઃ તમારી કુંડળીમાં શુક્ર બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. પારિવારીક સુખમાં વૃદ્ધિ થશે સાથોસાથ ખર્ચા પણ વધશે. પરિવારના સભ્યો સાથે અહમનો ટકરાવ ન થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક લાભ થશે. ઈચ્છા ન હોવા છતાં ઘરથી દૂર જવાનું થઈ શકે છે.

તુલાઃ તમારી કુંડળીમાં શુક્ર પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થશે. સુખ-સુવિધાના સાધનો વધશે. જીવનમાં મોટા પાયાના પરિવર્તનો આવશે. મોજશોખમાં સમય પસાર કરશો. માતાના સ્વાસ્થ્ય લઈને ચિંતાનો અનુભવ થઈ શકે. જો તમે બિઝનેસ કરતા હશો તો આ સમય તમારા માટે વધારે સારો છે.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં શુક્ર વ્યય સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ખર્ચમાં વૃદ્ધિ થશે. લાંબા અંતરની યાત્રાઓ વધશે. વિદેશ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને ઓનલાઈન વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. જીવનસાથીથી દૂર જવાનું થશે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

ધનઃ તમારી કુંડળીમાં શુક્ર 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થશે. લાભમાં વૃદ્ધિ થશે. કોઈ જૂની ઇચ્છા પૂરી થશે. તમે વધારે સામાજિક બનશો. રાજનીતિ કે શેરબજાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. લાંબા અંતરની યાત્રાથી લાભ થશે.

મકરઃ તમારી કુંડળીમાં શુક્ર દસમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. રાજનીતિ સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. તમારી મહેનત રંગ લાવશે. તમારી નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. કારકિર્દી તરફ તમે વધારે ફોકસ કરશો.

કુંભઃ તમારી કુંડળીમાં શુક્ર ભાગ્યસ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ભાગ્ય તમારો સાથ આપશે. પત્ની અને ભાગીદારને સાથે રાખીને ચાલશો તો લાભ થશે. સપરિવાર લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. ધર્મસ્થળોની મુલાકાત લેવામાં તમે આનંદનો અનુભવ કરશો.

મીનઃ તમારી કુંડળીમાં શુક્ર અષ્ટમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આધ્યાત્મમાં રૂચિ વધશે. જીવનમાં મોટાપાયાના પરિવર્તન આવશે. અચાનક પ્રગતિનો લાભ મળશે. આરોગ્ય સાચવજો. પિતા અને નાના ભાઈ-બહેનની કાળજી રાખવી. જેટલા આધ્યાત્મ તરફ ઢળશો એટલા વધારે સારા પરિણામ મળશે.

એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા

અમારું ફોન કન્સલ્ટેશન બુક કરવા માટે કોન્ટેક્ટ કરો

88661 88671

Aries

Aries

મેષ રાશિ (Aries)

પ્રતીક – ઘેંટા જેવી આકૃતિ તત્વ – અગ્નિ
સ્વામી – મંગળ દિશા – પૂર્વ
શારીરિક અંગ – માથું ઉચ્ચ ગ્રહ – સૂર્ય
લિંગ – પુરુષ નીચ ગ્રહ – શનિ

આ રાશિમાં ત્રણ નક્ષત્ર આવે છે – અશ્વિની – 4 (કેતુ), ભરણી – 4 (શુક્ર), કૃતિકા – 1 (સૂર્ય)

અહીં નંબર નક્ષત્રોના ચરણોની સંખ્યા અને કોષ્ટકમાં લખેલો ગ્રહ નક્ષત્રનો સ્વામી દર્શાવે છે. જેમ કે મેષ રાશિમાં અશ્વિની નક્ષત્રના ચારે ય ચરણ આવે છે અને એ ચરણનો સ્વામી કેતુ હોય છે. આ જ રીતે મેષ રાશિમાં ભરણી નક્ષત્રના પણ ચારે ય ચરણ અને કૃતિક નક્ષત્રનું પ્રથમ ચરણ આવે છે.

મેષ રાશિચક્રની સૌથી પહેલી રાશિ છે. આ અગ્નિ તત્વવાળી રાશિ છે અને આનો સ્વામી મંગળ પણ અગ્નિ તત્વ ધરાવતો ગ્રહ છે. રાશિ અને સ્વામી બંનેનો આ અગ્નિસંયોગ તમારી ઉર્જા અનેકગણી વધારી દે છે. આ રાશિનું પ્રતીક ઘેટું હોય છે. ઘેંટી સીધી અને શિસ્તપ્રિય હોય છે પરંતુ નર ઘેંટુ ઉગ્ર અને સ્વચ્છંદ હોય છે. એ કારણોસર આ રાશિના જાતકને ઉશ્કેરાવામાં વધુ સમય નથી લાગતો. તમે મજબૂત અને શક્તિશાળી વિશેષતાઓ ધરાવતા વ્યક્તિ છો. તમારી અંદર પોતાના લક્ષ્યને પામવાની પ્રબળ ઈચ્છા હોય છે અને તમે તમારુ લક્ષ્ય પ્રાપ્ત કરવા મજબૂત ઈચ્છાશક્તિ સાથે આગળ વધો છો. તમે બહુ ઉર્જાવાન છો અને તમારી આ ઉર્જા તમને સરળતાથી થાકવા દેતી નથી. તમે સાહસિક છો અને તમને નેતૃત્વ કરવામાં આનંદ આવે છે. તમારો વ્યવહાર સ્પષ્ટ અને સીધો હોય છે તથા તમે કોઈપણ સમસ્યાનો સીધો સામનો કરવામાં વિશ્વાસ ધરાવો છો.

મેષ રાશિનો સ્વામી મંગળ (લાલ ગ્રહ) હોય છે જેને યુદ્ધનો દેવતા માનવામાં આવે છે. પરંતુ એનો એ મતલબ નથી કે આ રાશિના જાતકો દરેક સમયે ઝઘડા માટે તૈયાર રહે છે. આનો મતલબ એ છે કે તમે હંમેશા સક્રિય રહેવા ઈચ્છો છો ખાલી બેસવુ એ તમારો સ્વભાવ નથી. આ રાશિના જાતકોની સામે જ્યારે કોઈ સમસ્યા કે અડચણ આવે છે ત્યારે તેઓ તરત જ એનો હલ કાઢવાની યોજના બનાવવા લાગે છે અને ઝડપથી એના પર અમલ પણ કરે છે. તમારો સ્વામી મંગળ તમને ભરપૂર ઉર્જા પ્રદાન કરે છે અને તમે હંમેશા એનો સકારાત્મક ઉપયોગ કરો છો.

તમારું તત્વ અગ્નિ ખુબ શક્તિશાળી છે અને તમારામાં અગ્નિનો ગરમાવો રહે છે. તમારી અંદરની ઉર્જામાં ભાગ્યે જ ઘટાડો આવશે. તમારી સૌથી સારી બાબત જ એ છે કે તમે જ્યાં જશો ત્યાં પોતાની ઉર્જાનો પ્રકાશ ફેલાવશો અને એનો ફાયદો બધાંને મળશે. તમારામાં જીવનશક્તિ ખુબ વધારે હોવાથી તમે મુશ્કેલીઓમાંથી સરળતાથી માર્ગ કાઢી લો છો અને એમાંથી બહાર નીકળી આવો છો.

તમારી સૌથી મોટી તાકાત તમારી સાહસિકતા છે. તમે જિંદગીના પડકારોનો સામનો કોઈપણ પ્રકારના ભય વિના કરો છો. સ્વતંત્રતા, ઉદારતા, ઉત્સાહ, આશાવાદ અને ધીરજ તમારા સકારાત્મક ગુણ છે.

તમે જિદ્દી છો. તમે લોકોની સલાહ નથી માનતા. તમે જે ધારો એ જ કરવામાં વિશ્વાસ ધરાવો છો. તમે નાની નાની વાતે નારાજ થઈ જાવ છો. તમે થોડી તરંગી સ્વભાવના છો.

મેષ રાશિના જાતકો અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે એટલે તેમણે એસીડીટીથી બચવા માટે મસાલેદાર ભોજનથી અંતર રાખવું જોઈએ. એમણે હંમેશા એવું ભોજન આરોગવું જોઈએ જે એમના લીવર અને કિડનીને તંદુરસ્તી બક્ષે.

આ રાશિના જાતકોને પેટ, માથા, કિડની, માઈગ્રેન અને અપચાથી સંબંધિત રોગ થવાની શક્યતા રહે છે.

શું તમે તમારું ભાગ્ય બદલવા માગો છો? પહેલા આ કથા વાંચી લો

શું તમે તમારું ભાગ્ય બદલવા માગો છો? પહેલા આ કથા વાંચી લો

પૌરાણિક કથા પ્રમાણે રાવણ ઇચ્છતો હતો કે તેનો પુત્ર અજેય બને. બધા જ સુખ તેની પાસે હોય. રાવણ તો જ્યોતિષશાસ્ત્રનો જ્ઞાતા હતો. તેને ખબર હતી કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહયોગ કેવા હોઈ શકે! વળી, અહંકારી પણ હતો. આથી અશક્યને શક્ય બનાવવા માગતો હતો. તે માટે કોઈ પણ હદે જવા તૈયાર હતો. તેણે મેઘનાદના જન્મ વખતે તમામ ગ્રહોને કેદ કરી પુત્રની કુંડળીના 11મા સ્થાનમાં આવે એ રીતે બેસાડી દીધા. દેવોને ખબર હતી કે શું અનર્થ થવા જઈ રહ્યું છે. તેમણે તરત જ ભગવાન શિવને પ્રાર્થના કરી, ‘આનો કંઈક રસ્તો કાઢો.’

ભગવાન શિવે શનિને આદેશ કરતા કર્મ-ફળનો દેવતા રાવણની કેદ તોડીને 12મા સ્થાનમાં ગોઠવાઈ ગયો. આ સમય એ હતો જ્યારે મેઘનાદ જન્મ લઈ રહ્યો હતો. રાવણે જોયું કે શનિ 12મે ગોઠવાઈ ગયો છે. તેણે તરત જ શનિ મહારાજના પગ પર કુહાડો માર્યો. અને તેમનો લોહીલુહાણ પગ કપાઈને કુંડળીના પ્રથમ સ્થાન પર પડ્યો. તે પગ એટલે ઉપગ્રહ માંદી. માંદી ઉપગ્રહ કુંડળીના પ્રથમ સ્થાનમાં હોય તો નાની ઉંમરે મૃત્યુ થાય છે. મેઘનાદ સાથે પણ એ જ થયું. તે ઇન્દ્રજીત તો બન્યો, પરંતુ લક્ષ્મણના હાથે નાની ઉંમરે હણાયો.
દોસ્તો, નસીબ ખરાબ હોય તો ભગવાનની ભક્તિ કરવી, ઉપવાસ-એકટાણા કરવાં, દાન-પુન કરવાં, પણ ક્યારેય છળ-કપટથી આગળ આવવાની કોશિશ ન કરવી. દુઃખ સહન કરી લેવું. દુઃખ પછી સુખનો સૂરજ ઊગશે એ વિશ્વાસ રાખવો. શોર્ટ કટ ન લેવા. બાકી ભગવાન શિવ અને શનિદેવ આપણા પણ એ જ હાલ કરશે, જે રાવણના પુત્રના થયાં હતાં. જ્યોતિષશાસ્ત્ર વરસાદ હોય તો તમને છત્રી આપી શકે છે, પણ વરસાદ રોકી શકતું નથી. આથી ચમત્કારના ચક્કરમાં પડવું નહીં.

રાવણ તમામ શાસ્ત્રોનો જ્ઞાતા હતો. વેદનો ગાયક હતો, શિવભક્ત હતો, પણ તેના ખરાબ ચરિત્ર અને ખરાબ કર્મોએ તેનો વધ કર્યો. કર્મ અને ચરિત્ર ખરાબ હોય તો ધર્મ પણ તારી શકતો નથી. ચરિત્ર સારું હશે, કર્મ સારાં હશે તો શનિદેવ, ભગવાન રામ અને ભગવાન શિવ આપણને ઉગારશે. તેના માટે અધીરાઈ કે ચતુરાઈ કરવી નહીં. કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા ખેલ…

જય સિયારામ
દશેરાની શુભકામનાઓ

આભાર
એસ્ટ્રોપથ
કુલદીપ કારિયા

ઓક્ટોબરમાં સૂર્યગ્રહણ સહિત પાંચ મોટી જ્યોતિષીય ઘટનાઓ બનશે, ગ્રહો બદલશે રાશિ

ઓક્ટોબરમાં સૂર્યગ્રહણ સહિત પાંચ મોટી જ્યોતિષીય ઘટનાઓ બનશે, ગ્રહો બદલશે રાશિ

ઓક્ટોબરમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને શનિ ગ્રહની સ્થિતિ અને ચાલ બદલાઈ રહી છે. આ સંજોગોમાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ઓક્ટોબરનો મહિનો બહુ જ મહત્ત્વનો મનાય છે. આ ગ્રહોના પરિવર્તનના કારણે હવામાન, અર્થ વ્યવસ્થા, રાજકારણ તેમજ રાશિઓ પ્રભાવિત થશે. આ જ મહિને સૂર્યગ્રહણ પણ સર્જાશે જેનો પ્રભાવ તમામ રાશિઓ ઉપરાંત બજાર, હવામાન અને રાજકારણ પર જોવા મળશે. ત્યારે જાણીએ કે ઓક્ટોબરમાં ક્યારે કયા ગ્રહો રાશિ અને ચાલ બદલી રહ્યા છે અને તેનો કેવો પ્રભાવ રહેશે.

ઓક્ટોબરમાં આ ગ્રહોના ગોચર

બુધ કન્યા રાશિમાં માર્ગી – 2 ઓક્ટોબર 2022
મંગળનું મિથુન રાશિમાં ગોચર – 16 ઓક્ટોબર 2022
સૂર્યનું તુલા રાશિમાં ગોચર – 17 ઓક્ટોબર 2022
શુક્રનું તુલા રાશિમાં ગોચર – 18 ઓક્ટોબર 2022
શનિ મકર રાશિમાં માર્ગી – 23 ઓક્ટોબર 2022
સૂર્યગ્રહણ – 25 ઓક્ટોબર 2022
બુધનું તુલા રાશિમાં ગોચર – 26 ઓક્ટોબર 2022
મંગળ મિથુનમાં વક્રી – 30 ઓક્ટોબર 2022

ઓક્ટોબરમાં બુધ બદલશે રાશિ અને ચાલ

બુધ 2 ઓક્ટોબરે પોતાની સ્વરાશિ કન્યામાં માર્ગી થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર બાદ જો કોઈ ગ્રહ ઝડપથી પોતાની ચાલ બદલતો હોય તો એ બુધ છે. રવિવારે 2 ઓક્ટોબરે બપોરે 2 વાગીને 35 મિનિટે બુધ પોતાની ચાલ બદલશે. આમ તો કોઈપણ ગ્રહનું માર્ગી થવું જાતકોના જીવન પર અનુકૂળ પ્રભાવ પાડે છે, પણ એ સંપૂર્ણ રીતે વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ પર આધાર રાખે છે. 26 ઓક્ટોબરે બુધ કન્યામાંથી તુલામાં આવશે અને એના કારણે માર્કેટમાં ખુબ જ ઉતાર-ચડાવ જોવા મળશે.

ઓક્ટોબરમાં મંગળનું રાશિ પરિવર્તન

મંગળ 16 ઓક્ટોબરે સવારે 6 વાગીને 35 મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં મંગળને નવગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને ઉર્જા, શક્તિ અને સાહસનો પ્રેરક ગ્રહ માનવામાં આવે છે. મંગળ સીધો જ વ્યક્તિના સ્વભાવ અને વ્યવહારને પ્રભાવિત કરે છે. મંગળનું મિથુન રાશિમાં ગોચર તમામ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પાડશે. મિથુન રાશિના લોકોમાં જોશ અને ઉત્સાહનો સંચાર થશે. આત્મવિશ્વાસ વધવાથી તેમને લાભ થશે પણ જોખમ લેવાથી બચવું પડશે. આ મહિનાના અંતમાં એટલે કે 30 ઓક્ટોબરે મંગળ મિથુન રાશિમાં વક્રી થશે, પણ એનો વધુ પ્રભાવ ઓક્ટોબર નહીં, પણ નવેમ્બરમાં જોવા મળશે.

ઓક્ટોબરમાં સૂર્યનું તુલા રાશિમાં ગોચર

સૂર્ય 17 ઓક્ટોબરે સાંજે 7 વાગીને 22 મિનિટે રાશિ પરિવર્તન કરીને તુલામાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. આ ગોચર દરમિયાન સૂર્ય પોતાની નીચ અવસ્થામાં હશે. વાસ્તવમાં જ્યોતિષ મુજબ સૂર્ય જ્યારે મેષ રાશિમાં હોય ત્યારે પોતાની ઉચ્ચ અવસ્થા અને તુલામાં જાય ત્યારે નીચ અવસ્થામાં હોય છે.

ઓક્ટોબરમાં શુક્રનું તુલા રાશિમાં ગોચર

શુક્ર 18 ઓક્ટોબરે રાત્રે લગભગ 9 વાગીને 25 મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને એક શુભ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર પ્રેમસંબંધ, ભૌતિક સુખ અને સુવિધાઓનો કારક ગ્રહ મનાય છે. એવામાં શુક્રનો પોતાની રાશિ તુલામાં પ્રવેશ અનેક રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે.

ઓક્ટોબરમાં શનિ મકર રાશિમાં માર્ગી થશે

શનિ 23 ઓક્ટોબરે મકર રાશિમાં માર્ગી થશે. આ ગોચરની ખાસ વાત એ છે કે શનિ મકર રાશિનો સ્વામી છે. આ સંજોગોમાં શનિનું ચાલ પરિવર્તન અનેક રાશિઓ માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. જોકે કેટલાક લોકોને ખરાબ પરિણામો પણ આપી શકે છે. શનિ સવારે 4 વાગીને 20 મિનિટે પોતાની ચાલ બદલશે. હાલ શનિ વક્રી ચાલી રહ્યો છે.

25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ

25 ઓક્ટોબરે સૂર્યને ગ્રહણ લાગવાનુ છે. જે આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ હશે. 25 ઓક્ટોબરને મંગળવારે બપોરે 2 વાગીને 29 મિનિટથી સાંજે 6 વાગીને 32 મિનિટ સુધી સૂર્યગ્રહણ રહેશે. એ સૂર્યગ્રહણ આ વર્ષનું બીજુ અને ભારતમાં દૃશ્યમાન થનારુ પહેલું સૂર્યગ્રહણ હશે. સૂર્યગ્રહણ તમામ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પાડશે.

આભાર
ટીમ એસ્ટ્રોપથ

રાજનીતિમાં સફળતાના કેટલાક જ્યોતિષીય યોગ

રાજનીતિમાં સફળતાના કેટલાક જ્યોતિષીય યોગ

  • કુંડળીમાં 10મા સ્થાનમાં શનિ રાજયોગ કારક છે. (નરેન્દ્ર મોદી)
  • કુંડળીમાં 10મા સ્થાનમાં રાહુ રાજયોગ કારક છે. રાહુ દસ મેં, દુનિયા બસ મેં (મહાત્મા ગાંધી)
  • ચોથા સ્થાનનો રાહુ પણ રાજકીય સફળતા અપાવે. (જ્હોન એફ. કેનેડી) ચોથું સ્થાન સિંહાસન છે. અને વતન પણ. કુંડળીમાં ઇલેક્શન પણ ચોથા સ્થાનથી જોવાય.
  • કુંડળીનું 10મું અને 11મું સ્થાન સૂર્ય સાથે કોઈને કોઈ રીતે જોડાવું જરૂરી છે. (ઇંદિરા ગાંધી, નરેન્દ્ર મોદી અને બીજા અનેક)
  • 10મા અથવા 11મા સ્થાનમાં સૂર્ય-રાહુની યુતિ હોય તો રાજનીતિમાં સફળતા મળે. (ડોનલ્ડ ટ્રમ્પ)
  • રાહુ પાંચમા સ્થાનમાં હોય તો રાજનીતિમાં સફળતા મળી શકે. (નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ)
  • સૂર્ય પર ગુરુની દૃષ્ટિ હોય તો રાજલક્ષણ યોગ બને, જે તમને મોટા નેતા બનાવે. (ઇંદિરા ગાંધી)
  • સૂર્ય અને ચંદ્ર બંને પર ગુરુની દૃષ્ટિ હોય તેનાથી મોટો રાજયોગ કોઈ નથી. (લેટ ક્વીન એલિઝાબેથ)
  • લોકશાહીમાં સૂર્યની સાથે શનિ પણ બળવાન હોવો જરૂરી. સૂર્ય એ નેતા છે જ્યારે શનિ એ પ્રજા છે. જે નેતાની કુંડળીમાં સૂર્ય બળવાન હોય પણ શનિ નબળો હોય તેમને પાછલા બારણેથી રાજનીતિ કરવી પડે. ચૂંટણીમાં ક્યારેય સફળતા ન મળે.
  • સિંહ રાશિમાં એકથી વધુ ગ્રહો બેઠા હોય અને તે કારકિર્દી અથવા લાભ સ્થાન સાથે સંબંધ બનાવતા હોય. (અરવિંદ કેજરીવાલ)
  • સૂર્ય 10 અથવા 11મા સ્થાન સાથે જોડાયેલો હોય અને વળી મઘા નક્ષત્રમાં બેઠો હોય તો મોટી ખુરશી પાકી. કારણ કે મઘા નક્ષત્રનું પ્રતીક છે, સિંહાસન.
  • પાંચમા સ્થાનમાં સૂર્ય હોય એકથી વધુ ગ્રહો તેની સાથે સંબંધ બનાવતા હોય.
નવરાત્રિના નવ દિવસોમાં તમારી રાશિ અનુસાર કરો દુર્ગા પૂજા અને ઉપાય, મનોકામના પૂરી થશે

નવરાત્રિના નવ દિવસોમાં તમારી રાશિ અનુસાર કરો દુર્ગા પૂજા અને ઉપાય, મનોકામના પૂરી થશે

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે માતાજીનું આગમન હાથીની સવારીથી થઈ રહ્યુ છે. માતાનું હાથી પર આગમન સારા વરસાદ, ખુશાલી અને સમૃદ્ધિનો સંકેત છે. પરમ શક્તિ મા દુર્ગાની આરાધનાને સર્વોત્તમ માનવામા આવી છે. આ વર્ષે નવરાત્રિ પૂરા નવ દિવસોની છે અને તેનું સમાપન 5 ઓક્ટોબરે વિજયાદશમી પર થશે. શારદીય નવરાત્રિનું મહત્ત્વ સૌથી વધારે હોય છે. માન્યતા છે કે ભગવાન રામે પણ શારદીય નવરાત્રિમાં દેવીને પ્રસન્ન કરીને વિજયાદશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો. આમ તો મા દુર્ગા હંમેશા પોતાના ભક્તો પર કૃપા વરસાવતી જ રહે છે, પણ નવરાત્રિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી એમની વિશેષ કૃપા મળી રહે છે. તો આવો જાણીએ નવરાત્રિમાં રાશિ અનુસાર ઉપાય અને પૂજાવિધિ.

મેષ રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

મેષ રાશિના જાતકો માટે સ્કંદ માતાની પૂજા વિશેષ ફળદાયી રહેશે. તમારે માતાજીને દૂધથી બનેલી કોઈપણ મીઠાઈ અથવા ખીર ધરાવવી જોઈએ. તેમજ લાલ પુષ્પ અર્પણ કરીને સિદ્ધ કુંજિકા સ્તોત્રનું પઠન અચુક કરવું જોઈએ. આટલુ કરવાથી તમારા પર સ્કંદ માતાના આશીર્વાદ રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

વૃષભ રાશિના જાતકોએ આ નવરાત્રિએ સફેદ ચીજ-વસ્તુઓનો પ્રયોગ કરીને મહાગૌરીની આરાધના કરવી જોઈએ. એ વૃષભ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. સાથોસાથ સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે.

મિથુન રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

મિથુન રાશિના જાતકોએ મા દુર્ગાના બ્રહ્મચારિણી રુપની પૂજા કરવી જોઈએ. એનાથી ઘરમાં સુખ-શાંતિનું આગમન થશે. મા બ્રહ્મચારિણીને ખાંડ અને પંચામૃતનો પ્રસાદ ધરાવવાથી શુભ ફળ મળશે. આ નાનકડા ઉપાયથી આ રાશિના લોકો પર મા બ્રહ્મચારિણીની વિશેષ કૃપા રહેશે.

કર્ક રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી આ રાશિના જાતકોએ મા શૈલપુત્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમને દહીં, ભાત અને પતાશા ધરાવવા જોઈએ. જો તમને કોઈ શારિરીક કષ્ટ હશે તો આ પ્રયોગ કરવાથી તમને એમાંથી મુક્તી મળશે. મા દુર્ગાની સાથોસાથ તમારે ભગવાન શિવની પણ ઉપાસના કરવી જોઈએ.

સિંહ રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

સિંહ રાશિના જાતકોને જો આર્થિક સમસ્યા હોય તો તેમણે આ નવરાત્રિએ માતા કુષ્માંડાની પૂજા-અર્ચના કરવી જોઈએ. માતાને કેસર અર્પણ કરીને કપૂરથી આરતી કરવી જોઈએ. આ ઉપરાંત દુર્ગા સપ્તશતિનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

કન્યા રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

કન્યા રાશિના વ્યક્તિઓ માટે બ્રહ્મચારિણી સ્વરુપની સાચા મનથી પૂજા કરવી વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે. માતાને દૂધ-ચોખાની ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ. આમ કરવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે.

તુલા રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

તુલા રાશિના જાતકોએ આ નવરાત્રિમાં દુર્ગા સપ્તશતિનો પાઠ અચૂક કરવો જોઈએ. એટલું જ નહીં, પણ માતા મહાગૌરીને લાલ ચૂંદડી પણ ચડાવવી જોઈએ. આવું કરવાથી તમારા પરિવારમાં હર્ષોલ્લાસ અને સુખ-શાંતિનું વાતાવરણ બનશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

વૃશ્ચિક રાશિના જાતકોએ દુર્ગા માતાના કાલરાત્રિ સ્વરુપની પૂજા કરવી જોઈએ. એ તેમના માટે લાભદાયી રહેશે. નવરાત્રિના નવેય દિવસ સવાર-સાંજ આરતી કરવાનું ભુલશો નહીં. આ ઉપરાંત માતાને ફૂલ ચડાવીને ગોળનો પ્રસાદ ધરવાનું પણ ભૂલતા નહીં.

ધન રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

ધન રાશિના જે લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તેમણે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતિનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત માતાને પીળા રંગની કોઈપણ મીઠાઈ અને તલનું તેલ ચડાવવું.

મકર રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

મકર રાશિના જાતકોએ પોતાની મનોકામનાની પૂર્તિ માટે મા કાત્યાયનીને નાળિયેરની બરફીનો પ્રસાદ અચુક ધરાવવો જોઈએ. નવરાત્રિના સમયમાં આ ઉપાય તમારા માટે ખુબ જ શુભ રહેશે.

કુંભ રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

કુંભ રાશિના જાતકો માટે માતા અંબાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા લાભકારક રહેશે. સાથોસાથ દેવી કવચનો પાઠ કરવાથી ખર્ચા ઘટશે. ઘરમાં બે જગ્યાએ તેલનો દીવો કરવો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

મીન રાશિના જાતકો માટે નવરાત્રિના ઉપાય

મીન રાશિના જાતકોએ નવરાત્રિમાં નવ દિવસ સુધી દુર્ગા સપ્તશતિનો પાઠ કરવો જોઈએ અને મા ચંદ્રઘટાને કેળાં તેમજ પીળા ફૂલ અચુક અર્પણ કરવા જોઈએ. આ નાનકડા ઉપાયથી માતા તમારા તમામ દુ:ખો હરી લેશે.

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: તમારા પર શું અસર થશે?

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: તમારા પર શું અસર થશે?

સંસાર સુખમાં વૃદ્ધિ કરનારો ગ્રહ શુક્ર 24 સપ્ટેમ્બરે રાતે 9 વાગીને 3 મિનિટે સિંહ રાશિની યાત્રા સમાપ્ત કરીને કન્યા રાશિમાં પ્રવેશ્યો છે. કન્યા રાશિમાં તે 18મી ઓક્ટોબરે રાત્રિના 9: 38 વાગ્યા સુધી ગોચર કરશે. ત્યારબાદ પોતાની સ્વયંની રાશિ તુલામાં પ્રવેશ કરશે. શુક્ર મેજશોખ, સેક્સ, સંબંધો, કળા, ગ્લેમર આદિનો કારક છે. કન્યા રાશિમાં તેના ગોચરની તમારા જીવન પર શું અસર થશે? જોઇએ.

મેષ:
રાશિથી છઠ્ઠા શત્રુ સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ આર્થિક રીતે બહુ સારો કહી શકાય એવો નથી. ભોગવિલાસના સાધનો પર વધારે ખર્ચ થશે. આમ છતાં કોઈને કોઈ કારણોસર માનસિક સમસ્યાઓનો સામનો જ કરવો પડશે. ગુપ્ત શત્રુઓનું પ્રમાણ પણ વધારે રહેશે. લોકો તમને નીચા બતાવવાની એક પણ તક જતી નહીં કરે. આરોગ્ય વિશે ચિંતન કરતા રહેવું. ઝગડા અને કોર્ટ-કચેરી સંબંધિત મામલા બહાર જ પતાવવા. મોસાળ પક્ષે સંબંધો વધુ મજબૂત બનશે.

વૃષભ:
રાશિથી પાંચમા વિદ્યા સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. શિક્ષા સંબંધિત સ્પર્ધાઓમાં ખુબ સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે. જો પ્રેમલગ્ન વિશે વિચારી રહ્યા હોવ તો એ દૃષ્ટિએ સમય અનુકૂળ રહેશે. પોતાની ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરીને કંઈ પણ કાર્ય કરશો તો ચોક્કસ એમાં સફળતા મળશે. લાભના અવસર વધશે. ઉચ્ચ અધિકારીઓ પાસેથી પણ સહયોગ મળશે. પરિવારના વરિષ્ઠ સભ્યો તથા ભાઈઓ પાસેથી સુખદ સમાચારની પ્રાપ્તિના સંકેત છે.

મિથુન:
રાશિથી ચોથા સુખ સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ દરેક પ્રકારના વિલાસિતાપૂર્ણ પદાર્થોની પ્રાપ્તિમાં મદદગાર સાબિત થશે. સંપત્તિ અને જમીન સાથે સંકળાયેલા વિવાદોનો અંત આવી શકે. મકાન અથવા વાહનની ખરીદી પણ લાભદાઈ રહેશે. સંબંધિઓ તેમજ મિત્રો પાસેથી સારા સમાચાર મળી શકે. માતા-પિતાના સ્વાસ્થયની ચિંતા રહ્યા કરે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં અટકાયેલા કાર્યો પૂરા થાય. કોઈ નવું ટેન્ડર ભરવા ઈચ્છી રહ્યા હોવ તો આ એના માટે અનુકૂળ સમય છે.

કર્ક:
રાશિથી ત્રીજા પરાક્રમ ભાવમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ તમને ત્વરિત નિર્ણય લેનારા અને સાહસિક બનાવશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણયો તેમજ કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે રુચિ વધશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવતો પ્રયાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા ઉમેદવારો માટે આ સમય ખુબ જ સારો છે. પરિવારમાં નાના ભાઈઓ સાથેના મતભેદો વધવા દેવા નહીં. સંતાન સંબંધિત ચિંતા દૂર થશે.

સિંહ:
રાશિથી દ્વિતીય ધન સ્થાનમાં ગોચર કરનારો શુક્ર ઉતાર-ચડાવ અને અનેક પ્રકારના અણધાર્યા પરિણામોનો સામનો કરાવશે. આરોગ્ય વિશે અને ખાસ કરીને જમણી આંખ તેમજ પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું પડશે. આકસ્મિક ધનપ્રાપ્તિનો યોગ બનશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થવાથી બચજો. સારું એ રહેશે કે પોતાનું કામ ખતમ કરવું અને તરત જ ઘરભેગા થઈ જવું. યોજનાઓ ગુપ્ત રાખીને કાર્ય કરશો તો વધુ સફળ રહેશો.

કન્યા:

શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: તમારા પર શું અસર થશે?
તમારી રાશિમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ અનેક દૃષ્ટિએ સફળતા અપાવશે. પરિવારમાં માંગલિક કાર્યોનો શુભ અવસર આવશે. કોઈ નવા મહેમાનના આગમનથી માહૌલ ખુશીઓ ભરેલો રહેશે. લગ્નવિષયક વાત-ચીત સફળ રહેશે. સરકારી વિભાગોમાં કોઈ પ્રકારનું ટેન્ડર ભરવા ઈચ્છતા હોવ તો એ દૃષ્ટિએ ગ્રહફળ અનુકૂળ છે. સાસરી પક્ષ તરફથી સહયોગ મળશે. પેટ સંબંધિત સમસ્યાઓથી સાચવવું.

તુલા:
રાશિથી બારમા વ્યય સ્થાનમાં ગોચર કરનારો શુક્ર વધારે ભાગદોડ અને ખર્ચનો સામનો કરાવશે. યાત્રા-પ્રવાસનો લાભ મળશે. ભોગવિલાસના સાધનોમાં વધારે ખર્ચ થશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરાયેલો પ્રયાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા ઉમેદવારોએ સારા ગુણ લાવવા માટે વધુ પ્રયાસો કરવા પડશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થવાથી બચવું. કોર્ટ-કચેરીના મામલાઓની બહાર જ પતાવટ કરવી હિતાવહ છે.

વૃશ્ચિક:
રાશિથી અગિયારમા લાભ સ્થાનમાં ગોચર કરનારો શુક્ર બધી રીતે સારી સફળતા અપાવશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મજબૂત થશે. પરિવારના વરિષ્ઠ સભ્યો અને મોટા ભાઈઓ તરફથી પણ સહયોગના યોગ. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. કોઈ પણ મોટા કાર્યના પ્રારંભ કે કરાર પર હસ્તાક્ષર માટે ગ્રહફળ અનુકૂળ છે. પ્રેમસંબંધમાં ઉષ્મા આવશે. પ્રેમલગ્ન માટે સમય અનુકૂળ છે.

ધન:
રાશિથી દસમા કર્મ સ્થાનમાં ગોચર કરનારો શુક્ર તમારા પ્રભાવમાં વૃદ્ધિ કરશે અને તમારા લેવાયેલા નિર્ણયો માટે પ્રશંસા અપાવશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. કોઈ મોટા સન્માન કે પુરસ્કારની ઘોષણા પણ થઈ શકે. જમીન કે સંપત્તિ સાથે જોડાયેલા મામલાની પતાવટ થઈ શખે. મકાન કે વાહનની ખરીદી કરવા ઈચ્છતા હોવ તો એ દૃષ્ટિએ ગ્રહફળ અનુકૂળ છે. મિત્રો તથા સગાઓ તરફથી સારા સમાચાર મળી શકે. વિદેશ યાત્રા અથવા વિઝા વગેરે માટે આવેદન કરવા ઈચ્છતા હોવ તો સમય અનુકૂળ છે.

મકર:
રાશિથી નવમા ભાગ્ય સ્થાનમાં ગોચર કરનારો શુક્ર અનેક પ્રકારના અણધાર્યા પરંતુ સુખદ પરિણામો લઈ આવશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા હોવ તો પરિણામ સારું મળશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં વિલંબિત કાર્યો સંપન્ન થઈ શકે. કોઈ મોટું ટેન્ડર ભરવા ઈચ્છતા હોવ કે નોકરીમાં કોઈ નવા કરાર પર હસ્તાક્ષર કરવા ઈચ્છતા હોવ તો સમય સારો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી સાવધાન રહેવું.

કુંભ:
રાશિથી આઠમા આયુ સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ સામાન્ય જ રહેશે, પરંતુ આ રાશિ માટે શુક્ર એકલો જ યોગકારક કહેવામા આવ્યો છે એટલે ઉતાર-ચડાવ બાદ પણ ધારેલા કાર્યો સંઘર્ષો છતા સફળ જ રહેશે. માન-સન્માન તેમજ પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ પડશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર બનવાથી બચવું. વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા ઈચ્છતા ઉમેદવારોએ પરીક્ષામાં સારા ગુણ લાવવા માટે વધુ પ્રયાસો કરવા પડશે. ભોગવિલાસના સાધનોમાં વધારે ખર્ચ થશે.

મીન:
રાશિથી સાતમા દાંપત્ય સ્થાનમાં ગોચર કરનારા શુક્રનો પ્રભાવ બધી રીતે સારો રહેશે, પરંતુ સ્વાસ્થ્ય વિશે હંમેશા સાવધાન રહેવાની જરૂર છે. લગ્ન સંબંધિત વાત-ચીત સફળ રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. સાસરી પક્ષ તરફથી પણ સહકાર મળશે. જે લોકો તમને નીચા બતાવવાના પ્રયાસોમાં લાગ્યા હતા તેઓ જ મદદ માટે આગળ આવશે. સત્તા તરફથી પૂરો સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સારા થશે.