કુંડળીમાં 10મા સ્થાનમાં શનિ રાજયોગ કારક છે. (નરેન્દ્ર મોદી)
કુંડળીમાં 10મા સ્થાનમાં રાહુ રાજયોગ કારક છે. રાહુ દસ મેં, દુનિયા બસ મેં (મહાત્મા ગાંધી)
ચોથા સ્થાનનો રાહુ પણ રાજકીય સફળતા અપાવે. (જ્હોન એફ. કેનેડી) ચોથું સ્થાન સિંહાસન છે. અને વતન પણ. કુંડળીમાં ઇલેક્શન પણ ચોથા સ્થાનથી જોવાય.
કુંડળીનું 10મું અને 11મું સ્થાન સૂર્ય સાથે કોઈને કોઈ રીતે જોડાવું જરૂરી છે. (ઇંદિરા ગાંધી, નરેન્દ્ર મોદી અને બીજા અનેક)
10મા અથવા 11મા સ્થાનમાં સૂર્ય-રાહુની યુતિ હોય તો રાજનીતિમાં સફળતા મળે. (ડોનલ્ડ ટ્રમ્પ)
રાહુ પાંચમા સ્થાનમાં હોય તો રાજનીતિમાં સફળતા મળી શકે. (નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ)
સૂર્ય પર ગુરુની દૃષ્ટિ હોય તો રાજલક્ષણ યોગ બને, જે તમને મોટા નેતા બનાવે. (ઇંદિરા ગાંધી)
સૂર્ય અને ચંદ્ર બંને પર ગુરુની દૃષ્ટિ હોય તેનાથી મોટો રાજયોગ કોઈ નથી. (લેટ ક્વીન એલિઝાબેથ)
લોકશાહીમાં સૂર્યની સાથે શનિ પણ બળવાન હોવો જરૂરી. સૂર્ય એ નેતા છે જ્યારે શનિ એ પ્રજા છે. જે નેતાની કુંડળીમાં સૂર્ય બળવાન હોય પણ શનિ નબળો હોય તેમને પાછલા બારણેથી રાજનીતિ કરવી પડે. ચૂંટણીમાં ક્યારેય સફળતા ન મળે.
સિંહ રાશિમાં એકથી વધુ ગ્રહો બેઠા હોય અને તે કારકિર્દી અથવા લાભ સ્થાન સાથે સંબંધ બનાવતા હોય. (અરવિંદ કેજરીવાલ)
સૂર્ય 10 અથવા 11મા સ્થાન સાથે જોડાયેલો હોય અને વળી મઘા નક્ષત્રમાં બેઠો હોય તો મોટી ખુરશી પાકી. કારણ કે મઘા નક્ષત્રનું પ્રતીક છે, સિંહાસન.
પાંચમા સ્થાનમાં સૂર્ય હોય એકથી વધુ ગ્રહો તેની સાથે સંબંધ બનાવતા હોય.